Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રવિવારે કાવ્યગોષ્ઠી સમારોહ

કિશોરભાઈ સોનીના જન્મદિવસરની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સતત કાર્યરત કિશોરભાઈ સોની પોતાની જીવનયાત્રાના ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્યને સમર્પિત કિશોરભાઈ સોનીના ૮૨ મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત "કાવ્ય ગોષ્ઠી સમારોહ" નું આયોજન રવિવાર તા. ૨૨-૬-૨૫ ના સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન શ્રી લેઉવા પટેલ સમાજ, પ્રથમ માળ, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર હાલાર પંથકના કવિ-કવયિત્રીઓ સ્વરચિત કૃતિઓ રજુ કરશે.

આ સમારોહના અતિથિઓમાં લેખક ડો. સતિષચંદ્ર વ્યાસ (સાહિત્ય વિદ-ઈતિહાસવિદ્), ભરતભાઈ સુખપરિયા (વરિષ્ઠ ધારાશાસ્ત્રી), વિનુભાઈ પટેલ, વિરૂભાઈ દોશી (સાહિત્યપ્રેમીઓ), મનસુખભાઈ રાબડીયા (પ્રમુખ લેઉવા પટેલ સમાજ), પરેશભાઈ બાણગોરીયા (આચાર્ય, ડી.કે.વી. કોલેજ), રૂપલબેન માંકડ (આચાર્યા, બી.એડ. કોલેજ-અલીયાબાડા), ડો. હીરજી સિંચ (અધ્યક્ષ, ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ), દિનેશચંદ્ર માવલ (સાહિત્યકાર), વિજયસિંહ ચૌહાણ (તંત્રી, લોકવાત), તેમજ સુત્રધાર ભરત કાનાબાર ઉપસ્થિત રહેશે. તેમ રાકેશભાઈ સોની, વિમલભાઈ સોની દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh