Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે કોરોનાના આઠ કેસ

ગ્રામ્ય વિસ્તારોમાં નવો કોઈ કેસ નહીં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર શહેરમાં કોરોનાના કેસમાં સતત વધ ઘટ જોવા મળી રહી છે. ગઈકાલે કોરોનાના શહેરમાં નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયો નથી. શહેર વિસ્તારના ૪૨ દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ એક્ટિવ છે.

જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો - ઘટાડો નોંધાઈ રહૃાો છે. ગઈકાલે શહેર વિસ્તારમાં વધુ ૮ કેસ નોંધાયા હતા. જેમાં  પ્રગતિપાર્ક  વિસ્તારના ૫૦ વર્ષના મહિલા, કે.પી. શાહ વાડીની ૧૯ વર્ષની યુવતી, એમ.જે પાર્કના ૪૦ વર્ષના મહિલા, ગાંધીનગરના ૩૧ વર્ષના પુરુષ, વસંત વાટિકાના ૩૫ વર્ષના પુરુષ., સ્વસ્તિક સોસાયટીના ૩૮ વર્ષના મહિલા, તિરુપતિ સોસાયટીની ૧૯ વર્ષની યુવતી, અને સોલેરિયમ પાછળના વિસ્તારની ૨૩ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. ગઈકાલે ૯ દર્દીને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૪૨ એક્ટિવ  કેસ છે. જ્યારે ગઈકાલે એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. એક દર્દીને કોરોના મુકત જાહેર કરાયા છે. અને હાલની સ્થિતિએ કુલ ત્રણ એક્ટિવ કેસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh