Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેતા તેના ભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૮: જામનગરના સરમત પાટીયા પાસે વસવાટ કરતા મૂળ બિહારના એક યુવાને પોતાના વતનથી દૂર કામ કરવાનું ગમતું ન હોવાથી ગઈકાલે પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામમાં આર્ય ભગવતી સોસાયટીના રૂમ ન.ર૪માં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બાંકા જિલ્લાના બેલા ગામના વતની હિતેશકુમાર ભગવાનસિંગ નામના યુવાનનું મન અહી લાગતું ન હતું.
પોતાના વતનથી દૂર જઈ જામનગરમાં કામ કરવામાં મન પોરવાતંુ ન હોવાના કારણે કંટાળી જઈ હિતેશકુમારે ગઈકાલે સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો છે જેની સાંજે તેની સાથે જ કામ કરતા નાનાભાઈ અમન ભગવાનસિંગને જાણ થઈ હતી. અમને પોલીસને વાકેફ કરતા દોડી આવેલી સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial