Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનની ગુજરી બજારના કારણે એસ.ટી. ચાલકો પરેશાન

શુક્રવારે અને સોમવારે હજારોની સંખ્યામાં લોકોની અવર-જવરઃ

                                                                                                                                                                                                      

જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજારમાં ત્યાં એકત્ર થતી ભીડના કારણે એસ.ટી. બસ ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પ્રદર્શન મેદાનમાં દર શુક્રવારે અને સોમવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી માટે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાના કારણે બાજુમાંથી જ પસાર થતી એસ.ટી. બસના ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફર ભરેલી બસો ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આ મેદાનનું સંચાલન કલેક્ટર કચેરી હસ્તક છે, જ્યારે અગાઉ મામલતદાર કચેરી દ્વારા એસ્ટેટ  શાખાની મદદથી ગુજરી બજાર બંધ કરાવાઈ હતી, પરંતુ હાલ પુનઃ ગુજરીબજાર ધમધમતી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh