Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૩ લાખ પ૭ હજારના દાગીના ચોરાયા હતાઃ
જામનગર તા. ૫: જામજોધપુરના ગોપ ગામના એક મહિલાના મકાનમાંથી થોડા સમય પહેલાં રૂ.૩ લાખ પ૭ હજારના સોનાના પ૧ ગ્રામ દાગીના ચોરાઈ ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી લઈ તમામ મુદ્દામાલ રીકવર કર્યાે હતો. ફરિયાદી મહિલાએ પોતાના દાગીના પરત મેળવવા કરેલી કોર્ટ કાર્યવાહી પછી તેઓને આ દાગીના પોલીસ દ્વારા પરત સોંપી આપવામાં આવ્યા છે.
જામજોધપુર તાલુકાના ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતા ધનીબેન પરબતભાઈ ગમારા નામના મહિલાએ પોતાના ઘરમાંથી સોનાના ૫૧ ગ્રામ વજનના દાગીનાની ચોરી થઈ ગયાની થોડા સમય પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂ.૩ લાખ પ૭ હજારની કિંમતના દાગીનાની ચોરી અંગે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન જામજોધપુર પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને ચોરીમાં ગયેલા સોનાના દાગીના કબજે કરી લીધા હતા. ત્યારપછી ફરિયાદી ધનીબેન ગમારાએ પોતાના દાગીના પરત મેળવવા અદાલતમાં અરજી કર્યા પછી દાગીના પરત સોંપી આપવા આદેશ કરવામાં આવતા ગઈકાલે પીઆઈ એ.એસ. રબારી, પીએસઆઈ એચ.વી. વડાવીયા સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં આ મહિલાને તેઓના દાગીના પરત સોંપી આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial