Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દીક્ષા સમારંભમાં પૂર્વાશ્રમના નજીકના સગાઓ મુનિ-સાધ્વી સ્વરૂપે ઉપસ્થિત રહ્યાઃ
અર્ધ શેત્રુંજ્યનું બિરૂદ ધરાવતા જામનગરમાં જૈન સમાજ માટે ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વની છે. લીમડાલાઈન નજીક સમેત શિખરજીની પ્રતિકૃતિવાળા દેરાસરના પ્રાંગણમાં પોપટલાલ ધારશીભાઈ બોર્ડિંગ સંકુલમાં શિહોરવાળા જયંતિલાલ મોહનલાલ શાહ પરિવાર તરીકે ઓળખાતા જૈન કુટુંબ દંપતી નાંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન નાંદીશભાઈ શાહ પોતાના ૧૦ વર્ષિય પુત્ર તીર્થ નાંદીશભાઈ શાહ સાથે ગુરુ ભગવંતોની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા સમારંભ પૂર્વે છેલ્લા ચાર દિનથી દીક્ષા સંલગ્ન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં, જે અંતર્ગત ગઈકાલે વર્ષીદાનની શોભાયાત્રા પણ નીકળી હતી. ઉલ્લેખનિય છે કે, દીક્ષા લેનાર દંપતીના માતા, મોટાભાઈ, બહેન, ભત્રીજા, ભત્રીજી પણ ભૂતકાળમાં દીક્ષા લઈ ચૂક્યા છે અને આ પ્રસંગે મુનિ-સાધ્વીઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આમ દીક્ષા લેનાર દંપતીના પૂર્વાશ્રના નજીકના સગાઓએ આ પ્રસંગે જૈન મુનિ-સાધ્વી તરીકે નિશ્રા પ્રદાન કરી હતી. એ અનોખો ઘટનાક્રમ પણ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial