Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ર૩ કેન્દ્રો પર જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા

આગામી તા. ૧૩મી ડિસેમ્બરના દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા-ર૦ર૬ આગામી તા. ૧૩-૧ર-ર૦રપ, શનિવારના સવારે ૧૧.૩૦ થી ૧.૩૦ દરમિયાન જામનગર જિલ્લાના ર૩ કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ, હરધ્રોળ હાઈસ્કૂલ શ્રી જી. હરિયા સ્કૂલ, ડીસીસી હાઈસ્કૂલ, શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ, એબી વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી ડી.એસ. ગોજીયા વિદ્યાલય, જે.કે. સોની વિદ્યાલય, ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, નંદન વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, જોડિયા તાલુકાની યુ.પીવી કન્યા વિદ્યાલય, શ્રેયસ હાઈસ્કૂલ, કાલાવડ તાલુકાની પીબી એન્ડ બીબી હીરપરા ગર્લ્સ હાઈસ્કૂલ, દિવ્યજ્યોત હાઈસ્કૂલ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ (શીતલા), લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એલ.એ. મહેતા કન્યા વિદ્યાલય, માધવ વિદ્યાલય, શ્રી સાંદિપની એકેડમી અને શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ એમ ર૩ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh