Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં વરસાદ માટે શ્રી હાટકેશ્વર મહાદેવને અલૌકિક જલમય અરજ

ઈંદ્ર કો આપ આદેશ દિજીએ, બારીશેં હાટકેશ દિજીએઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગર હજુ સુધી વરસાદથી વંચિત છે. સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થઈ ગયો હોવા છતાં હાલાર મેઘકૃપાને તરસી રહ્યું છે ત્યારે શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મંદિરે સારા વરસાદની કામના સાથે દેવાધિદેવ મહાદેવને અનોખી જલમય પ્રાર્થના કરવામાં આવી હતી. નિજ મંદિરમાં શિવલીંગને જળમગ્ન કરી દિપમાળા તથા વિશેષ આરતી કરવામાં આવી હતી. ઈંદ્ર દેવ કૃપા વરસાવે એવી નાગરોના આરાધ્ય શ્રી હાટકેશ્વર મહાદેવને અરજ કરવામાં આવી હતી. આ અલૌકિક ઝાંખીના દર્શન કરીને ભક્તો ધન્ય થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh