Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-શકૂરબસ્તી સ્પે. ટ્રેનના આવાગમનનો રૂટ બદલાયો

ઓટોમેટિક સિગ્નિલિંગ સિસ્ટમનું કામ ચાલતુ હોઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: દિલ્હી સરાઈ રોહિલ્લા-રેવાડી રેલવે સેકશન પર દિલ્હી સરાઈ રોહિલ્લા, પટેલનગર, દિલ્હી કેન્ટ અને પાલમ સ્ટેશન વચ્ચે ઓટોમેટિક સિગ્નિલિંગ સિસ્ટમ કાર્યરત (કમિશનિંગ) કરવાના કામ માટે ૬ કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોનું સંચાલન નિયમિત રૂટના બદલે ડાયવર્ટ કરેલા રૂટ પરથી કરવામાં આવશે અને કેટલાક સ્ટેશનો પર તેનો સ્ટોપેજ રહેશે નહીં. તા. ૬ ઓકટોબર ૨૦૨૬ના ચાલનારી ટ્રેન નં. ૦૯૫૨૩ ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ પોતાના નિર્ધારીત રૂટ રેવાડી-દિલ્હી-કેન્ટ-પટેલનગર-શકૂરબસ્તીના બદલે રેવાડી-ભિવાની-રોહતક-શકૂરબસ્તીના બદલે રેવાડી-ભિવાની-રોહતક-શકૂર બસ્તીના પરિવર્તિત રૂટથી ચાલશે. પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો ગુરૂગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.

વળતા આ ટ્રેન નં. ૦૯૬૨૪ શકૂરબસ્તી-ઓખા સ્પેશિયલ તા. ૭ ઓકટોબર ૨૦૨૬ના ચાલનારી ટ્રેન પોતાના નિર્ધારીત રૂટ શકૂરબસ્તી-પટેલનગર-દિલ્હી કેન્ટ-રેવાડીના બદલે શકૂરબસ્તી-રોહતક-ભિવાની-રેવાડીના પરિવર્તિત રૂટથી ચાલશે. પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો દિલ્હી કેન્ટ અને ગુરૂગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે નહીં. રેલ મુસાફરોએ સંચાલનમાં થયેલા ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરવું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh