Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ફૂટપાથો ઉપરના તમામ દબાણો કરાવાશે દૂરઃ મેયરની ચેતવણી

બર્ધનચોક ઉપરાંત હવે સમગ્ર શહેરમાં ચલાવાશે ઝુંબેશ

જામનગર તા. ૧પઃ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ફેરિયા, પથારાવાળાઓને દૂર કરવા ખુદ મેયર મેદાનમાં ઉતરી રહ્યા છે. હવે શહેરની ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવનાર છે તેમ મેયરે જણાવ્યું છે.

શહેરના બર્ધનચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મેયર બિનાબેન કોઠારીએ છેલ્લા થોડા દિવસમાં બે વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. એસ્ટેટ શાખાની ટૂકડીને સાથે લઈને મેયર ખુદ ત્રાટક્યા હતાં અને ફેરિયા, પથારાવાળાઓને દૂર ખસેડ્યા હતાં અને જગ્યા દબાણ મુક્ત કરી હતી.

આવી જ હાલત હાલ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફૂટપાથની છે. લગભગ તમામ ફૂટપાથો ઉપર પણ ધંધાર્થીઓ દબાણ કબજો કરી લેવામાં આવ્યો છે. પરિણામે રાહદારીઓને ફૂટપાથના બદલે રોડ ઉપર ચાલવાની ફરજ પડે છે.

હવે આવા ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરાવી ફૂટપાથને ખાલી કરાવવામાં આવશે તેમ મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું છે. આગામી થોડા દિવસોમાં ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવા માટે એસ્ટેટ શાખા કામગીરી શરૃ કરનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh