Advertisement
Author: નોબત સમાચાર

₹ ૨ લાખ ૧૦ હજારના ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદની સજા

નાણા ધિરધાર કરતી પેઢીએ કરી હતી રાવઃ

જામનગર તા.૧પ: જામનગરના એક આસામીએ નાણા ધિરધારનું કામ કરતી પેઢી પાસેથી રૃા.૨ લાખ ૧૦ હજારનું ધિરાણ મેળવ્યા પછી આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં નાણા ધિરધાર કરતી હર્ષ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી ધિરાણ પેટે રૃા.ર લાખ ૧૦ હજાર અનોપસિંહ હેમતસિંહ જાડેજાએ મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

ઉપરોક્ત ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા અનોપસિંહને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓએ બાકી રકમ ન ચૂકવતા તેમની સામે જામનગરની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદી પેઢી તરફથી રોકાયેલા વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અનોપસિંહ હેમતસિંહ જાડેજાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૨ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ શ્યામ એન. ઘાડીયા, જય અગ્રાવત, આનંદ સંઘાણી, યશપાલ ડાંગરીયા, હેમત ગોજીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh