Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ તૈયાર કરી હતી પાસાની દરખાસ્તઃ
જામનગર તા.૧પ ઃ જામનગરના સાધનાકોલોની વિસ્તાર તથા કિસાનચોકમાં રહેતા બે શખ્સ સામે તેઓની દારૃબંધી ભંગ અંગેની પ્રવૃત્તિને લક્ષમાં રાખી પાસાની દરખાસ્ત કરાયા પછી પાસાનું વોરંટ ઈસ્યુ થતાં બંને શખ્સને સુરત તથા વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા અને દારૃબંધી ભંગની પ્રવૃત્તિ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીએ કેટલાક બુટલેગરોના ઈતિહાસ ચકાસવાનું શરૃ કર્યું હતું.
તે દરમિયાન શહેરના કિસાન ચોકમાં સૂર્યવંશી ચોક પાસે રહેતા સુરેશ રમણીકલાલ ગંઢા તથા સાધનાકોલોનીમાં ચાંદની ચોકમાં રહેતા વિપુલ ભગવાનજી ગંઢા સામે દારૃબંધી ભંગના ગુન્હા નોંધાયેલા હોવાનું જણાઈ આવતા આ શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
તે દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહે મંજુરી આપતા ગઈકાલે એલસીબીએ આ શખ્સોની અટકાયત કરી છે. જેમાંથી સુરેશ ગંઢાને વડોદરા જેલમાં તથા વિપુલ ગંઢાને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag