Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડી સાંજ સુધી પ્રશ્નો શાંતિથી સાંભળ્યાઃ
જામનગર તા. ૧પઃ જામનગરના ૭૯-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના જનસંપર્ક કાર્યાલયમાં લોકદરબાર યોજાયો હતો. જેમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાતા સંતોષ વ્યક્ત કરાયો હોવાનો દાવો કરાયો છે.
જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોતાના જનસંપર્ક કાર્યાલયમાં લોકદરબાર યોજ્યો હતો, અને સમગ્ર દિવસ દરમિયાન કાર્યાલય પર હાજર રહી પોતાના કાર્યકરો તેમજ સ્થાનિક રહેવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતાં, અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાના પ્રયાસો કર્યા હતાં.
સ્થાનિક વિસ્તારના નાગરિકોના પ્રશ્નોને સાંભળવા માટે ગુરુવાર, તા. ૧૩-૪-ર૦ર૩ ના દિવસે સમગ્ર દિવસ દરમિયાન જનસંપર્ક કાર્યાલય પર હાજર રહીને તેમના દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક વિસ્તારના નાગરિકો તેમજ કાર્યકરોને સાંભળ્યા હતાં અને મોડી સાંજ સુધી સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં અને ધારાસભ્ય દ્વારા તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાયું હતું, જેને લઈને રજૂઆત કરનારાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag