Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુના મુંબઈ-પૂણે હાઈ-વે પર ભયાનક અકસ્માતઃ
રાયગઢ તા. ૧પઃ મહારાષ્ટ્રના ખોપોલી વિસ્તારમાં બસ ખાઈમાં પડી જવાથી ૧૩ મુસાફરોના મૃત્યુ થયા છે અને રપ થી ૩૦ લોકો ઘાયલ થયાના અહેવાલો આવી રહ્યા છે.
મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં પડતા ૧૩ લોકોના મોત થયા હતાં અને લગભગ ૧પ થી ૩૦ લોકો ઘાયલ થયા હતાં. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ભયાનક માર્ગ અકસ્માત જુના મુંબઈ-પૂણે હાઈ-વે પર થયો હતો. આ હાઈ-વે પર બોરઘાટમાં ખાનગી બસ ખીણમાં પડી હતી. આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી.
ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે જુના મુંબઈ-પૂણે હાઈ-વે પર શિંગરોબા મંદિર પાસે ખીણમાં પડી ગઈ હતી. બસમાં લગભગ ૪૦ મુસાફરો સવાર હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag