Advertisement
Author: નોબત સમાચાર

કરારના વિશિષ્ટ પાલનના દાવામાં વચગાળાનો મનાઈહુકમ ફરમાવાયો

જામનગર તા.૧૫ઃ જામનગરના એક આસામીએ પ્લોટ  ખરીદવા પંદર વર્ષ પહેલા સુંંથી ચૂકવ્યા પછી પ્લોટ વેચનાર આસામીએ કરાર કરી આપ્યો હતો. તે કરારના વિશિષ્ટ પાલન માટે અદાલતમાં દાવો કરાતા તે દાવામાં વચગાળાનો મનાઈહુકમ ફરમાવાયો છે.

જામનગરની રઘુવીર કો. ઓ. હાઉસીંગ સોસાયટીમાં આવેલો એક પ્લોટ ખરીદવા માટે દિનેશભાઈ કરશનભાઈ સોનગરાએ વર્ષ ૨૦૦૮માં રૃા.૧૦,૩૩,૮૫૦માં સોદો કર્યા પછી સુંથી ચૂકવી હતી અને ખરીદનાર તથા વેચનાર વચ્ચે વેચાણ કરાર કરાયો હતો.

તે પછી વેચનારે તે પ્લોટના સબ પ્લોટીંગની મંજૂરી મેળવી ટાઈટલ ક્લિયર કરવાનો અને વેચાણ દસ્તાવેજ બનાવી આપવાનો વાયદો કરાયો હતો. તે મુજબ કાર્યવાહી ન કરાતા અને તે પ્લોટ જયાબેન નારણભાઈ સતવારાને દસ્તાવેજથી વેચી નખાતા દિનેશભાઈએ અદાલતમાં દાવો કરી મનાઈહુકમની માંગણી કરી હતી.  અદાલતે તે પ્લોટ ન વેચવા બાબતે વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, ધર્મેશ કનખરા, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, કાજલ કાંબરીયા તથા એ.એ. મુંદ્રા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh