Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને કરાયેલી તપાસના રિપોર્ટ કરવા આદેશઃ
જામનગર તા.૧પ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪૮ ખેડૂતો પાસેથી રૃા.સવા બે કરોડની મગફળી ખરીદ્યા પછી જુનાગઢ જિલ્લાના પિતા-પુત્રએ તે રકમ ન ચૂકવતા અને તે બાબતનો ગુન્હો પોલીસે દાખલ ન કરતા ખેડૂતો વતી એક ખેડૂતે અદાલતમાં ધા નાખી છે. અદાલતે ખેડૂતની અગાઉની રજૂઆત પર થયેલી તપાસ અંગેનો રિપોર્ટ રજૂ કરવા પોલીસને હુકમ કર્યાે છે.
જુનાગઢ જિલ્લાના બામણવાળા ગામના રમેશ ભાયાભાઈ પીઠીયા તથા ક્રિષ્ના રમેશભાઈ પીઠીયા દ્વારકા જિલ્લાના ભાડથર સહિતના ગામોમાંથી મગફળીની ખરીદી કરતા હતા. ખેડૂતોને બજાર ભાવથી વધુ ભાવ આપવાની લાલચ બતાવી ભાયાભાઈ જગાભાઈ ચાવડા સહિતના ૪૮ ખેડૂતો પાસેથી આ વ્યક્તિઓએ ઉધારમાં મગફળી ખરીદી હતી.
પંદર દિવસમાં પૈસા ચૂકવવાનું કહી તેઓ લાપત્તા બની જતાં આ પિતા-પુત્રની ખેડૂતોએ શોધ કરી હતી. તે પછી રૃા.ર,૨૨,૪૭,૨૯૯ની મગફળી ઓળવી જવા અંગે પોલીસમાં રજૂઆત કરાઈ હતી પરંતુ ગુન્હો નહીં નોંધાતા ખેડૂત ભાયાભાઈએ ખંભાળિયાની અદાલતમાં ફરિયાદ કરતા અદાલતે આઈપીસી ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) સહિતની કલમો હેઠળના આ ગુન્હા અંગે પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યાે છે. ખેડૂત તરફથી વકીલ વી.એચ. કનારા, ધીરેન કનારા, નિલેશ ગોજીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag