Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં તમિલનાડુના ૯૮ કલાકારો દ્વારા રજૂ થશે તમિલનાડુની સંસ્કૃતિ

૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

ખંભાળિયા તા. ૧પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રી તમિલો તા. ૧૭ થી ગુજરાતના પ્રવાસે આવશે અને સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની મુલાકાત કરશે તેમજ સાંસ્કૃતિક આદનપ્રદાન કરશે. ત્યારે દ્વારકામાં તા. ૧૯ થી ગુજરાત અને તમિલનાડુના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેમાનોના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રવાસન નિગમ દ્વારા પણ જરૃરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દ્વારકામાં તા. ૧૯ થી ર૮ એપ્રિલ ર૦ર૩ સુધી તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તમિલનાડુના ૯૮ કલાકારો અને ગુજરાતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં ટિપ્પણી લોકનૃત્ય, થુડુમ્બટ્ટમ્, મણિયારો રાસ, સિદ્દી ધમાલ નૃત્ય, ફિનાલે ફ્યુઝન, કરકટ્ટમ્ ઈન્ટરચેન્જ મદુરાઈના ભક્તિ ગીતો સહિતના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh