Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથમાં દીવો કે માટીની મુઠ્ઠી ભરીને પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાઈ
જામનગર તા. ૧૫ઃ જામનગર જિલ્લાના ગામે ગામ મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જામનગર જિલ્લાના ૧ર૬ ગામડાઓમાં અભિયાનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના ૩૧, ધ્રોલ તાલુકાના ૧૦, જોડિયા તાલુકાના ૧ર, કાલાવડ તાલુકાના ર૬, લાલપુર તાલુકાના ર૧ અને જામજોધપુર તાલુકાના રર ગામડાઓમાં મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી કરાઈ હતી.
વિવિધ ગામડાઓમાં આ અભિયાનની ઉજવણી અંતર્ગત શીલાફલકમનું અનાવરણ જેમાં જે ગામડામાંથી દેશના રક્ષણ માટે કોઈ જવાન શહીદ થયેલ હોય તો તેનું નામ શીલા પર કંડારીને અમૃતસરોવરો, જળાશયો, શાળાઓ, પંચાયત ઓફિસોમાં તે તકતીનું અનાવરણ કરાયું હતું. તેમજ વીરશહીદના પરિવારજનોનું સન્માન તથા હાથમાં માટીની મુઠ્ઠી કે દીવો લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બાદમાં ધ્વજવંદન અને માટી કળશ યાત્રાનું તથા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં ગ્રામપંચાતોના આગેવાનો, અધિકારીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial