Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધાશ્રમ પાસે અજાણ્યા યુવાનનો ટ્રેન આડે મોતનો ભૂસ્કોઃ
જામનગર તા.૧૫: જામજોધપુરના મોટી ગોપ ગામમાં કામધંધો ન કરતા પુત્રને પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી પુત્રએ ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે જામનગરના અંધાશ્રમ આવાસ પાસે રેલવે ટ્રેક પર એક યુવાને ભૂસ્કો મારી જિંદગી ટૂંકાવી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં વસવાટ કરતા મહેશભાઈ રાજુભાઈ ગરચર ઉર્ફે કાના (ઉ.વ.૨૮) નામના યુવાન કોઈ કામધંધો કરતા ન હતા. આ બાબતે પિતા રાજુભાઈ નાજાભાઈ ગરચરે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠું લાગી આવતા ગઈકાલે સાંજે મહેશભાઈ પોતાના ઘરેથી નીકળી ગયા પછી મોટી ગોપ ગામના રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા હતા.
આ યુવાને રાત્રે દસેક વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ગંભીર ઈજા થયા પછી મૃત્યુ થયું છે. પિતા રાજુભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાસે આવેલા ઓવરબ્રિજ નીચેના રેલવે ટ્રેક પરથી ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ એક અજાણ્યા યુવાને ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. અંદાજે ત્રીસેક વર્ષની વયના લાગતા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૃ કરી છે અને રોહિત ભરતભાઈ ખટાવરાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial