Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનોએ લીધી પંચ પ્રણ પ્રતિજ્ઞાઃ
જામનગર તા. ૧૫ઃ સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન, અભિયાનની શરૃઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. મારી માટી, મારો દેશ, અભિયાન અંતર્ગત જામનગર તાલુકાના ઢીચડા, ફલ્લા, મેડી, નાની બાણુગાર, દોઢિયા, દરેડ, અલિયા સહિતના પ૦ ગામડાઓમાં શીલાફલકમ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વીરોને વંદન, વસુધા વંદન તથા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતાં. આ સમગ્ર કાર્યક્રમો અંતર્ગત શાળાઓ, પંચાયત ઓફિસર, અમૃત સરોવરો, જળાશયો પાસે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને શીલાફલકમનું અનાવરણ, શહિદ જવાનોના પરિવારજનોનું સમ્માન,વૃક્ષારોપણ, હાથમાં માટી અને માટીનો દીવો લઈ સેલ્ફી અભિયાન, ધ્વજવંદન, રાષ્ટ્રની એકતા માટે પ્રતિજ્ઞા તથા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial