Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાનો સિલસિલોઃ
જામનગર તા.૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનો સિલસિલો યથાવત રહ્યો છે. ખંભાળિયાના સોનારડી ગામના એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાણવડના ફતેપુરના એક પ્રૌઢાનું છાતીમાં દુખાવો ઉપડયા પછી સારવારમાં નિધન થયું છે. ખંભાળિયા તાલુકાના સોનારડી ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ નવલસંગ જાડેજા (ઉ.વ.૩૫) નામના યુવાન પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ નિપજ્યાનું રઘુવીરસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આદરી છે.
ભાણવડ તાલુકાના ફતેપુર ગામની સીમમાં રહેતા જશુબેન ભુલાભાઈ રાઠોડ નામના બાવન વર્ષના પ્રૌઢાને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial