Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર ચાર શખ્સનો ફરમાવાયો છૂટકારો

નવરાત્રિમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી

જામનગર તા. ૧૩: જામનગરમાં સાત વર્ષ પહેલાં ગરબીમાં મશ્કરીની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી એક યુવાન પર ચાર શખ્સે જીવલેણ હુમલો કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે ચારેય આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામનગરના રાંદલનગર ૫ાસે રહેતા વનરાજસિંહ સાહેબજી જાડેજા ગયા વર્ષ ૨૦૧૭માં નવરાત્રિમાં ગરબી જોવા ગયા હતા ત્યારે મશ્કરીમાં ગાળાગાળી અને બોલાચાલી થયા પછી તેનો ખાર રાખી એજાઝ અનવર સફીયા, મયુરસિંહ જુવાનસિંહ પરમાર, હનીફ અલારખા બ્લોચ, નિલેશ ચંદુભાઈ ભટ્ટે હથિયારોથી હુમલો કરી એક પગમાં ફ્રેક્ચર તથા માથામાં ઈજા પહોંચાડી ધમકી આપી હતી. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ફરિયાદીની જુબાની તથા અન્ય સાહેદોનંુ સમર્થન મળી રહ્યું નથી, ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે તેવી દલીલ માન્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh