Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર, શંકરટેકરી અને દરેડ સહિત વિસ્તારોમાંથી ઝડપાઈ વીજચોરી

રૂ. ૩૯ લાખ ૩૦ હજારના પુરવણી બીલ અપાયાઃ

જામનગર તા. ૧૩: જામનગરમાં વીજચોરી ડાભી દેવા માટે વધુ એક વખત વીજ કંપની દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે દરેડથી માંડી ગોકુલનગર તથા ઢીંચડા  સુધી ચેકીંગ કરાયું હતું. જેમાં રૂ. ૩૯ લાખ ૩૦ હજારની વીજચોરી ઝડપાઈ હતી. જામનગરની સ્થાનિક ૫ીજીવીસીએલ કચેરી દ્વારા બે સપ્તાહના વિરામ પછી ગઈકાલે ફરી એક વખત વીજચોરી પકડી પાડવા માટે ચેકીંગ શરૂ કરવામાં આવ્યંુ છે. ગઈકાલે ૪૪ ટૂકડી ચેકીંગ માટે પહોંચી હતી. શહેરના શંકરટેકરી, વલ્લ્ભ નગર, શાસ્ત્રીનગર તેમજ ગોકુલનગર અને પાણાખાણ વિસ્તાર ઉપરાંત જામનગર નજીક આવેલા દરેડ તથા ઢીંચડામાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ટૂકડીઓએ કુલ ૬૨૮ વીજ જોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૧૦૭ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ. ૩૯ લાખ ૩૦ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. ચેકીંગમાં બંદોબસ્ત માટે ૧૭ એસઆરપી જવાનને સાથે રાખવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh