Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં યોજાનાર જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન અંગે બેઠકઃ માર્ગદર્શન

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં

ખંભાળીયા તા. ૧૩ : દ્વારકામાં તા. ર૬ ઓગષ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારું આયોજન અંગે કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી કરાશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય ત્યારે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh