Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સાધના કોલોનીમાં આજે વધુ ૩૬ જર્જરિત ફલેટનું ડિમોલીશન

આજે વધુ ત્રણ બ્લોક તોડી પાડવાની કામગીરી શરૂ

જામનગર તા. ૧૩: જામનગરની ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત હાલતમાં રહેલા વધુ ત્રણ બ્લોક તોડી પાડવાની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શરૂ કરવામાં આવી છે.

જામનગરની સાધના કોલોની પાછળના વિસ્તારમાં આવેલ ન્યુ સાધના કોલોનીના બ્લોક જર્જરિત હાલતમાં હોવાથી માનવ હાની થઈ શકે તેમ છે. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આવા બ્લોક ખાલી કરાવાયા હતાં. ગઈકાલે ચાર ઈમારતના ૪૮ ફલેટના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે વધુ ૩ બ્લોકના ૩૬ ફલેટનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે જેસીબી ટ્રેક્ટર સાથે એસ્ટેટ શાખાના સ્ટાફે કામગીરીમાં જોડાયો છે. આજે બ્લોક નંબર એમ ૯૧, ૯ર અને ૯૩ ને તોડી પાડવામાં આવ્યા પછી આવતીકાલે એલ ૧૦ર, ૧૦૩ અને ૧૦૪ એમ વધુ ત્રણ બ્લોકનું ડિમોલીશન કરવામાં આવશે. આજની પાડતોડની કામગીરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh