Advertisement
Author: નોબત સમાચાર

બસ ઉભી રાખવાનું કહી એસટીના ડ્રાઈવરને જુનાગઢના શખ્સે આપી ધમકી

ગોળાઈ પછી ઉભી રાખવાનું કહેતા મામલો બીચક્યોઃ

જામનગર તા. ૧૩: જામનગરથી સોમનાથ રૂટની એસટી બસ ગઈકાલે તેના ચાલક જામનગરથી રવાના થયા પછી ખંઢેરા ગામની ગોળાઈમાં એક મુસાફરે લઘુશંકા કરવા જવું છે તેમ કહી બસ ઉભી રાખવા જણાવ્યું હતું. ડ્રાઈવરે બસ ગોળાઈ પછી ઉભી રાખુ તેમ કહેતા મુસાફરે ગાળો ભાંડી ડ્રાઈવરનો કાંઠલો પકડી લઈ ફરજમાં રૂકાવટ કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરથી ગઈકાલે સોમનાથ રૂટની જીજે-૧૮-ઝેડટી ૭૪૮ નંબરની એસટી બસ ચલાવીને તેના ડ્રાઈવર કાલાવડના અનિરૂદ્ધસિંહ કનુભા વાઢેર રવાના થયા હતા. તે બસ ખંઢેરા ગામ પાસે પહોંચી ત્યારે તેમાં મુસાફરી કરી રહેલા દિલીપસિંહ સીસોદીયા નામના જુનાગઢના વ્યક્તિએ લઘુશંકા કરવા જવું છે તેમ કહી બસ ઉભી રાખવા માટે ડ્રાઈવરને કહ્યું હતું.

આ વેળાએ ગોળાઈથી આગળ બસ ઉભી રાખીશ તેમ ડ્રાઈવર અનિરૂદ્ધસિંહે કહેતા ગુસ્સામાં આવી દિલીપસિંહે અત્યારે જ બસ ઉભી રાખી દો તેમ કહી ગાળો ભાંડી ડ્રાઈવરનો બોચો પકડી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અનિરૂદ્ધસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh