Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપન ફીડીંગ કેનાલમાં પ્લાસ્ટિક સહિત કચરો નહીં ઠાલવવા અનુરોધ
જામનગર તા. ૧૩: જામનગરના તળાવમાં દરેડ ફીડીંગ કેનાલમાંથી વરસાદના પાણી સાથે આવેલ તમામ કચરાની સફાઈ કરાવાઈ રહી છે અને બોટ દ્વારા ૧૦ દિવસમાં ૨૦ ટન કચરો કેનાલમાંથી કઢાયો છે
જામનગરમાં લાલપુર બાયપાસથી દરેડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ફીડીંગ કેનાલ રણજીતસાગર રોડ થઈ, પવનચક્કી થઈ રણમલ તળાવમાં વરસાદી પાણીની આવક થાય છે. આ વર્ષે ખૂબ સારા પ્રમાણમાં પાણીની આવક થયેલ હોય, સાથોસાથ આ કેનાલ મારફત દરેક પ્રકારનો કચરો રણમલ તળાવમાં આવતો હોય, આ કચરાનો નિકાલ રણમલ તળાવની સફાઈની એજન્સી દ્વારા માણસો રાખી બોટ દ્વારા આ કચરાનો ૧૦ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે.
અંદાજે ૨૦ મેટ્રિક ટન જેટલો કચરાનો નિકાલ કરેલ છે. હાલ પણ આ સફાઈની કામગીરી ચાલુ છે તથા જામનગરની જાહેર જનતાને ઓપન ફીડીંગ કેનાલમાં પ્લાસ્ટિક વિગેરે કોઈપણ પ્રકારનો કચરો નહીં નાખવાનો અનુરોધ કરવામાં આવે છે જેથી કરીને રણમલ તળાવમાં રહેતી જીવસૃષ્ટિને કોઈપણ જાતની હાની ન પહોંચે, તેમ જામનગર પાલિકાના સિટી ઈજનેરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial