Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર કડવા પાટીદાર સમાજમાં સમૂહભોજન, વિનાયક ધામનું લોકાર્પણ તથા સામાજિક સંમેલન

આવતીકાલ તા. ર૩ અને ર૪ મે ના કાર્યક્રમોનું આયોજનઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. રરઃ જામનગર જિલ્લાના લાલપુરમાં તા. ર૩ અને ર૪ મે ના સાંસદ પૂરુષોત્તમભાઈ રૂપાલા તથા ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજનું નવનિર્મિત વિનાયક ધામના લોકાર્પણ તથા સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં લાલપુર તથા લાલપુરના મૂળ વતનીઓ ઉપસ્થિત રહેશે. પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજની બહેનો-દીકરીઓના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. બે દિવસ સમૂહ ભોજન પણ યોજાશે. તા. ર૩ ની સાંજે મોટીવેટર અંકિતાબેન મુલાણીનો મોટીવેશનનો કાર્યક્રમ તથા તા. ર૪ ના સામાજિક સંમેલન યોજાશે. આ બે દિવીય કાર્યક્રમને સફળ બનાવવા લાલપુર કડવા પટેલ સમાજના પ્રમુખ ચીમનભાઈ ઘેટિયા, સમાજના ટ્રસ્ટીઓ અને વિવિધ સમિતિના યુવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh