Advertisement
Author: નોબત સમાચાર

નિલકમલમાં પાણી લીકેજ બંધ કરવા ખાડો ખોદીને છોડી દેતું તંત્ર

જામનગરના ખોડિયાર કોલોનીના

                                                                                                                                                                                                      

જામનગરના ખોડિયાર કોલોની, નિલકમલ ચોકમાં પાણીની લાઈન લીકેજ થતા દસ દિવસથી મરામત કામગીરી માટે ખાડો ખોદવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહિં કોઈ કામગીરી પણ થતી નથી, પરંતુ આ ખાડાના કારણે દરરોજ સાંજે અહિં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અહિં જ શાક માર્કેટ પણ સાંજે ધમધમતી હોય છે. પરિણામે રસ્તાની વચ્ચોવચ્ચના ખાડાના કારણે ટ્રાફિક જામમાં અડધો કલાક વાહનચાલકો દરરોજ ફસાય છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાએ સત્વરે આ કામ પૂર્ણ કરાવી ખાડો બુરી આપવો જોઈએ તેવી માંગણી પણ સ્થાનિક વિસ્તારના વેપારીઓમાં ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh