Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા સવા ચોવીસ લાખના ચેક પરતના ત્રણ કેસમાં બે બે વર્ષની કેદ

બે આસામીએ ચેક પરતના કેસમાં થયેલી સજા અપીલમાં રહી યથાવતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના એક આસામી સામે જામ્યુકોના કર્મચારીએ રૂ. ૨૪ લાખ ૨૫ હજારના ચેક પરતની કરેલી ત્રણ ફરિયાદમાં અદાલતે આરોપીને બે બે વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે. જ્યારે આમરાના આસામીએ ચેક પરતના કેસમાં થયેલી સજા સામે કરેલી અપીલ નામંજુર રખાઈ છે અને જીઆઈડીસી ફેસ-૨માં વ્યવસાય કરતા એક આસામીને ચેક પરતના ચાર કેસમાં ફટકારાયેલી સજા અપીલમાં પણ યથાવત રખાઈ છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિલ વસંતભાઈ વાઘેલા નામના જામ્યુકો.ના કર્મચારી પાસેથી તેમના મિત્ર અને શેરબજારને લગતુ કામ કરતા હિરેન મહેન્દ્રભાઈ ધાબાએ રૂ. ૨૪ લાખ ૨૫ હજાર મેળવી તે રકમ પરત ચૂકવવા માટે ચેક આપ્યા હતા. તે તમામ ચેક બેંકમાંથી પરત ફરતા સુનિલ વાઘેલાએ અદાલતમાં ત્રણ ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય કેસ ચાલી જતા અદાલતે આરોપી હિરેન મહેન્દ્રભાઈને તકસીરવાન ફરમાવી બે બે વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જામનગર ખંભાળીયા રોડ પર આવેલા આમરા ગામમાં વસવાટ કરતા અમરસીભાઈ ધનાભાઈ મહિડા નામના આસામીએ આઈડીબીઆઈ બેંકમાંથી લોન મેળવ્યા પછી તેના હપ્તા પેટે ચેક આપ્યો હતો. રૂ. ૪,૬૨,૪૪૩ની રકમનો આ ચેક પરત ફરતા બેંક દ્વારા અદાલતનો આશરો લેવાયો હતો. અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો હતો.

તે હુકમ સામે આરોપી અમરસીભાઈ મહિડાએ ઉપરની અદાલતમાં અપીલ નોંધાવી હતી. અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના કિરીટભાઈ જીવરાજાણી નામના આસામી પાસેથી જીઆઈડીસી ફેસ-૨ માં વરૂડી ફ્રૂડ પ્રોડક્ટ નામની પેઢી ચલાવતા અમરશીભાઈ છગનભાઈ ભંડેરીએ હાથ ઉછીની રકમ મેળવ્યા પછી ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક બેંકમાંથી પરત ફરતા કિરીટભાઈએ અદાલતમાં ચાર ફરિયાદ નોંધાવી હતી.

વર્ષ ૨૦૧૭માં કરાયેલી આ ફરિયાદો ચાલી જતા અદાલતે ચારેય કેસમાં છ છ મહિનાની કેદ અને રૂ. નવ લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. તે હુકમ સામે અમરશીભાઈએ ઉપરની કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલો રદ કરી શેસન્સ કોર્ટે ચારેય કેસમાં નીચેની કોર્ટે કરેલા હુકમને યથાવત રાખ્યા છે. ઉપરોક્ત બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ ગૌરવ પંડયા તેમજ ચાર કેસ વાળા કિસ્સામાં તેમની સાથે વકીલ કે.ડી. ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh