Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ ખાતાઓમાં જમા થયા રૂ. ૯,૬૦,૦૦૦:
જામનગર તા. ૧૮: જામનગરના બે શખ્સે પોતાના ખાનગી બેંકમાં આવેલા ખાતા અન્ય બે શખ્સને વાપરવા માટે આપ્યા પછી તે ખાતાઓમાં ઠગાઈ કે છેતરપીંડીથી મેળવાયેલી રૂ. ૯,૬૦,૦૦૦ની રકમ જમા થઈ ગઈ હતી. પોલીસે ખુદ ફરિયાદી બની ચારેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા નારાયણનગર પાસેની શ્રૃતિપાર્ક સોસાયટીમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ ધોણીયા, સત્યમ કોલોની નજીક શિવમ સોસાયટીમાં રહેતા વિપુલ મોહનભાઈ વસોયા તથા સુમરા ચાલીવાળા સદામ બશીરભાઈ ખફી, શહીદ ખફી નામના ચાર શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી એમ.જે. જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જયદીપભાઈ તથા વિપુલ વસોયાએ પોતાના ખાનગી બેંકમાં આવેલા બેંક ખાતા શહિદ ખફી અને સદામ ખફીને વાપરવા માટે આપ્યા હતા અને તેઓના ખાતામાં રૂ. નવ લાખ સાઈઠ હજાર જમા થઈ ગયા હતા.
તે રકમ જયદીપ મહેન્દ્રભાઈએ ચેક દ્વારા ઉપાડી શહીદ તથા સદામને પહોંચાડી હતી. ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કે છેતરપીંડીથી મેળવેલી ઉપરોક્ત રકમ ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial