Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની બીમારીથી કંટાળી જઈ ખેડૂતે કરી લીધું વિષપાનઃ સારવારમાં થયું મૃત્યુ

મૃતકના પુત્રએ પોલીસમાં જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામજોધપુર શહેરમાં વસવાટ કરતા એક ખેડૂતને મ્હોંમાં કેન્સર થયાનું નિદાન થયા પછી સારવાર અપાવવામાં આવતી હતી. બીમારીથી કંટાળી ગયેલા આ પ્રૌઢે ગઈકાલે કોઈ ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર શહેરના ખરાવાઢ વિસ્તારમાં ગાધેશ્વર મંદિર પાસે વસવાટ કરતા અરવિંદભાઈ કાનાભાઈ સુરેલા (ઉ.વ.૫૦)નામના પ્રૌઢને છએક મહિનાથી મ્હોંમાં કેન્સર થયાનું નિદાન થયું હતું ત્યારથી અરવિંદભાઈને સારવાર અપાવવામાં આવતી હતી.

પોતાની બીમારીથી કંટાળી ગયેલા આ પ્રૌઢે ગઈકાલે સાંજે પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતા અરવિંદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર મનીષભાઈ સુરેલાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh