Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં 'નલ સે જલ' યોજનાની પચાસ ટકા કામગીરી પૂર્ણ

નગરના વિવિધ વિસ્તારોમાં ચાર કિમી લાંબી પાણીની .....

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં સરકાર દ્વારા નલ સે જલ યોજના માટે રૂ. ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે યોજનાનું ૫૦ ટકા જેટલું કામ પૂર્ણ થયું હોવાનું નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું.

ખંભાળીયાના શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવેલા ઘી ડેમના પાલિકાના વોટર વર્કસથી છેક ખંભાળીયા ગામ અને તેના વિવિધ વિસ્તારોમાં મેઈન લાઈનો નવી નાખવી, જુની લાઈનો બદલવી, જ્યાં ઓછો ફોર્સ હોય ત્યાં વિશેષ આયોજન કરવું, ભૂતિયા ગેરકાયદે કનેક્શનો કાપીને તેના રેગ્યુલર કરવા સાથે અગાઉ ૪૦ ટકા ખંભાળીયા વિસ્તારને બોર અને કૂવામાંથી પાણી અપાતું તેના બદલે ૧૦૦ ટકા વિસ્તારને ઘી ડેમ અથવા નર્મદા ડેમનું મીઠું પાણી પૂરૃં પાડવાનું આયોજન આ નવ કરોડની યોજનામાં છે.

અંદાજે ચાર કિલોમીટર લાંબી લાઈનો શહેરના વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવશે જેથી પાણી પ્રશ્નો તમામ હલ થઈ જશે.

ખોદાણની તમામ જગ્યાએ નવો રોડ

નલ સે જલ ના આ નવ કરોડના આયોજનમાં જે જે ગલીઓ, રસ્તાઓ પર ખાડા કરીને લાઈનો નાખવામાં આવશે તે તમામ સ્થળે નવા સીસી રોડ કરીને ખાડા પૂરીને જેવો રસ્તો હતો તેવો બનાવી દેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh