Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપક્ષી સભ્યો પ્રશ્નોની ઝડી વરસાવશે
જામનગર તા. ૧૮: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આવતીકાલે તા. ૧૯ ના સવારે ૧૧-૩૦ કલાકે મહાનગર પાલિકાના સભાગૃહમાં મેયરના અધ્યક્ષ સ્થાને યોજાશે, જેમાં વિપક્ષના કોર્પોરેટરો પ્રશ્નોની ઝડી વરસાવે તેવા સંકેતો મળી રહ્યા છે.
શ્રીજી ઈન્ફ્રાને ર૧ર૧ ચો.મી. જમીન વેચાણ આપવા, વોટર વર્કસ સબ ઈન્સ્પેક્ટર જગ્યામાં વધારો કરવા, સેક્રેટરીની જગ્યાનો ચાર્જને બહાલી આપવા સહિતના એજન્ડા અંગે જરૂરી નિર્ણય લેવાશે.
આ ઉપરાંત આરોગ્ય, નવા રોડમાં થીગડા, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષના કોર્પોરેટરો પ્રશ્નોની ઝડી વરસાવે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગત્ સામાન્ય ચૂંટણીમાં કુલ ૬૪ માંથી પ૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ અને ૩ બસપાને બેઠકો મળી હતી, જો કે તાજેતરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો પક્ષમાંથી બહાર આવ્યા છે. આથી હવે કોંગ્રેસનું કુલ સંખ્યાબળ ૮ નું થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial