Advertisement
Author: નોબત સમાચાર

રંગમતી નદીમાં કોઈ રીતે પડી ગયેલા શ્રમીકનું ડૂબી જવાથી નિપજ્યુ મૃત્યુ

પોલીસે નિવેદન નોંધી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮:     જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળથી પસાર થતી રંગમતી નદીમાં ગઈકાલે એક શ્રમીક કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જઈને મોતને શરણ થયા છે. પોલીસે તેમના સંબંધીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી, તપાસ હાથ ધર્યા છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળના સાઈબાબાના મંદિર પાસે ઝુંપડામાં વસવાટ કરતા રાજેશભાઈ તુલસીભાઈ ગૌતમ નામના ૩૦ વર્ષના શ્રમીક ગઈકાલે ત્યાંથી પસાર થતી રંગમતી નદીમાં કોઈ રીતે પડી ગયા હતા.

આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના વતની અને હાલમાં કાલાવડના બાલંભડી ગામમાં રહેતા રામલખન રામપ્રસાદ નિષાદ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. સિટી એ ડિવિઝનના જમાદાર એસ.કે. ઠાકરીયાએ આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh