Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્"ના પહેલા કુલગુરૂ બનશે જામનગરના ડો. હિતેશ જાની
જામનગર તા. ૧૬: ભારતની સૌપ્રથમ દેશી ગૌવંશ માટેની યુનિવર્સિટીની સ્થાપના થવા જઈ રહી છે, અને "ગૌવંશ વિશ્વ વિદ્યાપીઠમ્"ના પહેલા કુલગુરૂ તરીકે જામનગરના ડો. હિતેશ જાનીની થયેલી નિયુક્તિને આવકાર મળી રહ્યો છેે.
આગામી તા. ૧૭-૫-૨૦૨૫ને શનિવારના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગૌ વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના થઈ રહી છે. તેના પ્રથમ કુલગુરૂ તરીકે જામનગરના ડો. હિતેશ જાનીની નિયુક્તિ કરવામાં આવી છે, જેને જામનગર સહિત રાજયભરમાંથી આવકાર મળી રહ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા સહિતના બનેલા એડવાઈઝરી બોર્ડમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની પણ પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ઈનોવેટિવ ફોરમના એસ.એન. ડાંગાયાય, કડી સર્વ વિદ્યાપીઠના ચેરમેન વલ્લભભાઈ પટેલ, મનોજભાઈ સોલંકી, પરબત ગોરસીયા (કચ્છ) સહિતની એડવાઈઝરી સમિતિની રચના કરવામાં આવી છે.
ગૌસેવા ગતિવિધિના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ કે. એન. રાઘવનજી ચેન્નાઈ નાગપુર ગૌવિજ્ઞાન સંસ્થાનના સુનીલ માનસિંંહકા અને આર.એસ.એસ.ના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ આ ગૌ વિશ્વ વિદ્યાપીઠના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, "ગૌ વિશ્વ વિદ્યાપીઠમ" ના પહેલા કુલપતિ તરીકે ભારતના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડો. હિતેશ જાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ છે, હાલમાં તેઓ ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના ડાયરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial