Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાડ કાપવા જતાં વૃદ્ધને માથામાં સળીયો મારી પતાવી દેવાયાઃ આરોપી દબોચાયોઃ
જામનગર તા. ૧૬: લાલપુરના નાંદુરી ગામમાં બે ખેતર વચ્ચે આવેલું બાવળનું એક ઝાડ વૃદ્ધ ખેડૂતની હત્યાનું કારણ બન્યું છે. આ વૃદ્ધે પોતાના ખેતરમાં આવવા જવાના રસ્તામાં અડચણ કરતા તે ઝાડને કાપવાની તજવીજ કરતા શેઢા પાડોશી સાથે મનદુખ ઉભુ થયું હતું અને ગઈકાલે સવારે તે વૃદ્ધ પર લોખંડના સળીયાથી શેઢા પાડોશીએ હુમલો કર્યાે હતો. ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને દબોચી લીધો છે.
લાલ૫ુર તાલુકાના નાંદુરી ગામમાં વસવાટ કરતા અને રાણાસરની ધારથી ઓળખાતી સીમમાં ખેતર ધરાવતા જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધને બાજુમાં જ ખેતર ધરાવતા ખીમા લખમણભાઈ કરંગીયા સાથે મનદુખ ઉભુ થયું હતું.
બંને શેઢા પાડોશીની વચ્ચે સર્જાયેલા ગજગ્રાહમાં બાવળનું ઝાડ કારણભુત બન્યું હતું. જેતાભાઈના ખેતરમાં જવા આવવા માટેના રસ્તા પર તે ઝાડ આવેલું હોવાથી બેએક દિવસ પહેલાં તેને કપાવી નાખવા જેતાભાઈ દ્વારા તજવીજ કરાઈ હતી. તેથી ઝઘડો થયો હતો.
આ બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે જેતાભાઈ જ્યારે પોતાના ખેતરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા ખીમાભાઈ કરંગીયાએ ફરીથી ઝઘડો કરી પોતાની પાસે રહેલો લોખંડનો સળીયો ઉપાડી જેતાભાઈના માથામાં ઝીંકી દીધો હતો. લોહીલોહાણ બની ગયેલા આ વૃદ્ધને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈરાત્રે તેઓનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે.
બનાવની જાણ થતાં લાલપુરના એએસપી પ્રતિભા સહિતનો પોલીસ કાફલો ધસી ગયો હતો. પોલીસે મૃતકના પુત્ર નગાભાઈ કરંગીયાની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી આરોપી ખીમાભાઈ લખમણભાઈ કરંગીયાને દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial