Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરની સગીરા પર દુષ્કર્મ તથા મદદગારીના ગુન્હામાં બે આરોપી છૂટ્યા

ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામજોધપુર પંથકની એક સગીરાના ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને તેના એક મિત્રએ આ કૃત્ય માં મદદ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામજોધપુર પંથકમાં વસવાટ કરતી એક સગીરાના કેટલાક ફોટા પાડી લઈ જાવેદ આલમ અબ્દુલ મુનાફ નામના શખ્સે તેણીને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીના ઘરે જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી અન્ય શહેરમાં ચાલી ગયેલી આ સગીરાને જાવેદ આલમે પોતાના મિત્ર અમિત ગોવિંદભાઈ પીપરોતર નામના શખ્સનો સાથ મેળવી ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે જાવેદ આલમ તથા તેના મિત્ર અમિત ગોવિંદભાઈ સામે ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી તરફથી રોકાયેલા વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયાની દલીલો ગ્રાહ્ય રાખી બંનેનો છૂટકારો કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh