Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રંગમતિ નદીના દબાણકારોને જામ્યુકોના તંત્રએ તબક્કાવાર સાંભળ્યા

સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અનુસંધાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના રંગમતિ નદીના પટમાં થયેલા ગેરકાયદે દબાણો અંગે ગઈકાલે મહાનગરપાલિકાના અધિકારીની ટીમે અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા હતાં. આ કાર્યવાહી આજે અને સોમવારે પણ ચાલુ રહેશે. આ પછી મહાનગર પાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જામનગરમાં રંગમતિ નદીમાં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન થયું છે. આ માટે આનુસાંગિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

નદીનાપટમાં થયેલા મકાન, દુકાન, કાચા-પાકા બાંધકામો દૂર કરવા તમામ બાંધકામધારકોને નોટીસ પાઠવાઈ છે. આ તમામ ૧૯૦ જેટલા બાંધકામો તોડી પાડવા મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે, જ્યારે અસરગ્રસ્તોએ પોતે અહિ વર્ષોથી વસવાટ કરતા હોવાથી પોતાને કાયમી રહેઠાણ મળી રહે તેવી માંગણી તંત્ર સમક્ષ કરી હતી.

દરમિયાન મહાનગર પાલિકા દ્વારા અસરગ્રસ્તોની રજૂઆત સાંભળવા તેઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતાં. કુલ ૧૯૦ આસામીઓમાંથી ગઈકાલે ગુરુવારે ૬પ, આજે શુક્રવારે ૬પ અને આગામી સોમવારે ૬૦ અસરગ્રસ્તોને બોલાવાયા છે.

ગઈકાલે પ્રથમ દિવસના હિયરીંગમાં ૬પ માંથી પ૩ અસરગ્રસ્તો આવ્યા હતાં જેમને ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાએ અને તેની ટીમે સાંભળ્યા હતાં. આ પછી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh