Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી અને બફારાથી પ્રજાજનો ત્રસ્તઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું. ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહેતા પ્રજાજનો બેહાલ થઈ ગયા હતાં.
જામનગરમાં બે દિવસ મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીથી વધુ વધીને ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહ્યું હતું. ગઈકાલે સવારથી જ વાતાવરણમાં ધીમે-ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોર સુધીમાં આકરો તાપ પડ્યો હતો. ગરમી સાથે બફારાનું પણ આક્રમણ થતા લોકો બેહાલ થઈ ગયા હતાં. આકરા તાપ અને બફારાથી આકૂળ-વ્યાકૂળ થઈને પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. રાહત મળે તે માટે નગરજનોએ એસી, એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૬.૭ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પમી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial