Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેમ્પમાં ૧૫૦થી વધુ રકતદાતાઓ દ્વારા રકતદાનઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટસ એસોસિએશન, સ્વામી વિવેકાનંદ કો-ઓપરેટીવ સોસાયટી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલારામ ગ્રુપના સહયોગથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પને જીઆઇડીસી પ્લોટ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ જયેશભાઈ સંઘાણી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ ચૌહાણ મનસુખભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા સહિતના અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગ્ટય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં ૧૫૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી દેશ સેવા માટે તત્પર અને હાલની પરિસ્થિતિમાં સરહદ પર તૈનાત રહીને દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપી રહેલા સૈનિકોના જરૂરિયાતોને ધ્યાને લઈને જી.જી.હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કમાં બ્લડ જમા કરવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial