Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ગીતા વિદ્યાલયના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના શ્રી કાશિવિશ્વનાથ મંદિર સ્થિત ગીતા વિદ્યાલયના ૭૭ મા સ્થાપના દિવસની ઉજવણી તા. ૧૯ ના બુધારે સાંજે ૬-૩૦ થી ૮ દરમિયાન કરવામાં આવશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે મેયર મોનિકાબેન વ્યાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગીતા વિદ્યાલયના બાળકો દ્વારા સામૂહિક ગીતાપાઠ, વકતૃત્વ સ્પર્ધા, ચોપાઈ કંઠસ્થ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સહિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનારને પુરસ્કાર આપવામાં આવશે. ધૂન તથા પ્રાર્થના કરવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh