Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. પ મી જુલાઈએ
જામનગર તા. ૧ઃ ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. પ-૭-ર૩ ને બુધવારે સવારે ૯ થી ૧ર શ્રી ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ પેટ્રોલપંપ પાછળ, શરૃ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં સદ્ગુરૃ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોકટરો તથા સ્ટાફ સેવા આપશે. મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશૂલ્ક પૂરી પાડવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. આ ઉપરાંત દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ ડો. વૈશાલીબેન વાજા સેવા આપશે તો લોકોને લાભ લેવા શ્રી ગાયત્રી શક્તિપીઠ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial