Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના કોર્પોરેટરો-આગેવાનો અસરગ્રસ્તોની વ્હારેઃ અસલમ ખીલજી તથા જેનબબેનની સરાહનીય કામગીરી

કુદરતી આપત્તિ વેળાએ

જામનગર તા. ૧ઃ જામનગર શહેરમાં ગઈકાલે ભારે વરસાદની કુદરત્તિ આપત્તિ વેળાએ મોટા પીર ચોક પાસે જુનવણી મકાનની દીવાલ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં મનપાના પૂર્વ વિપક્ષી નેતા તથા વોર્ડ નં.૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફી તાત્કાલિક વરસતા વરસાદમાં ઘટના સ્થળે દોડી ગયા હતાં.

તેમણે તરત જ મનપાની એસ્ટેટ વિભાગની ટીમને બોલાવી દીવાલ તોડી પડાવી હતી. આ દીવાલના કારણે મુખ્ય રસ્તા બંધ થઈ ગયા હતા જે પુનઃ ખુલ્લા થયા હતાં. મોટાપીર ચોકમાં વિસ્તારના આગેવાનો ઈબ્રાહીમભાઈ ખફી, અનુભાઈ મુંદ્રા તથા સ્થાનિક લત્તાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh