Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાતુર્માસ દરમિયાન દ્વારકાપીઠમાં વિવિધ ઉત્સવો ઉપરાંત
દ્વારકા તા. ૧ઃ દ્વારકાના શારદાપીઠમાં ચાતુર્માસ દરમિયાન નિત્યોત્સવની સાથે સાથે વિશિષ્ટ તિથિઓ પર વિશિષ્ટ ઉત્સવો પણ ઉજવવામાં આવનાર છે. તદ્દનુસાર અષાઢ સુદ પૂર્ણિમા તા. ૩ જુલાઈને સોમવારના ગુરૃવ્યાસ પૂજા તથા ચાતુર્માસનો પ્રારંભ થશે. શ્રાવણ સુદ પૂર્ણિમા તા. ૩૦ ઓગષ્ટને બુધવારના સંસ્કૃત દિવસ અને શ્રાવણી ઉપાકર્મ નિમિત્તે ઉત્સવ ઉજવાશે. તા. ૧ સપ્ટેમ્બરે શુક્રવાર શંકરાચાર્ય સદાનંદજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. તા. ૭ સપ્ટેમ્બરને ગુરૃવારના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે. તા. ૧૮ મી સપ્ટેમ્બરને સોમવારના પૂર્વ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતી મહારાજનો ૧૦૦ મો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. તા. ર૮ મી સપ્ટેમ્બરને ગુરૃવારના અનંત ચતુર્દશીની ઉજવણી કરાશે. તા. ર૯ સપ્ટેમ્બરને શુક્રવારના ચાતુર્માસ વ્રત સમાપ્ત - સીમા ઉલ્લંઘન સાથે સમગ્ર ચાતુર્માસના ઉત્સવનું સમાપન થશે.
ચાતુર્માસ દરમ્યાન યોજાનાર નિત્યોત્સવ
દ્વારકામાં શંકરાચાર્ય સદાનંદજી મહારાજના શંકરાચાર્યની પદવી મળ્યા બાદના સૌપ્રથમ ચાતુર્માસમાં દરરોજ ઉત્સવની ઉજવણી કરશે જેમાં ચાતુર્માસના પ્રત્યેક દિવસે સવારે ૭ થી ૯ વાગ્યા સુધી ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વરજીને રૃદ્રાભિષેક કરવામાં આવશે. સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી બ્રહ્મસુત્ર શાંકરભાષ્ય સ્વાધ્યાય, સાંજે પ થી ૬ સુધી શંકરાચાર્ય ગુરૃગાદી પર મહારાજશ્રીના દર્શન તેમજ સાંજે ૬ થી ૮ સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા શાંકરભાષ્ય પર પ્રવચન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial