Advertisement
Author: નોબત સમાચાર

પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી. શ્રીમતી પ્રીતિ શર્માનુંં કચ્છના પ્રભારીમંત્રીએ કર્યું સન્માન

બિપોરજોય વાવાઝોડામાંં પ્રેગ્નન્સીમાં પણ રાત-દિવસ જોયા વગર કામ કર્યુંર્ં હોવાથી

ભુજ તા. ૧ઃ કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પીજી- વીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિ શર્માનુું સન્માન કરીને બિપોરજોય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કપરા સમયે શ્રીમતી પ્રીતિબેન શર્માએ પ્રેગેન્સીમાં પણ રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ મોડી રાત સુધી કચ્છ કલેકટરની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતાં. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિબેન શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

સગર્ભા હોવા છતાં તેઓ મોડે સુધી પીજીવછીસીએલના અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી કરતા હતા તે બાબત પ્રભારીએ બિરદાવી હતી અને શ્રીમતી પ્રીતિબેન શર્માનું શાલ ઓઢાડીને સન્માન કર્યુંર્ં હતુંં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh