Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ ઃ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગરના કાલાવડ તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ર૬ જુલાઈના સવારે ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મામલતદાર અને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કાલાવડના અધ્યક્ષસ્થાને કાલાવડ મામલતદારશ્રીની કચેરીમાં યોજવામાં આવશે.તેથી, અરજદારોએ આગામી તા. ૧૦ જુલાઈ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન અરજી ઉકત દર્શાવેલા સરનામાં પર મોકલી દેવાની રહેશે. કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને કાર્યક્રમનો લાભ લેવા મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial