Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયામાં મસ્જિદ ચોકમાંથી ગઈરાત્રે બે પત્રકાર મિત્ર મોટરમાં પસાર થતાં હતા ત્યારે મોટરમાં ગરબા વગાડવા પ્રશ્ને ત્રીસેક શખ્સના ટોળાએ તેઓને રોકી લઈ માર મારી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરવા ઉપરાંત તે વિસ્તારમાં રાત્રે બંદોબસ્ત મૂક્યો હતો.
ખંભાળિયામાં રહેતા ખુશાલભાઈ ગોકાણી નામના પત્રકાર ગઈરાત્રે ખંભાળિયા શહેરમાં દ્વારકા ગેઈટ પાસેથી એકાદ વાગ્યે પોતાના પત્રકાર મિત્ર કરણભાઈ સાથે મોટરમાં જઈ રહ્યા હતા. ત્યારે આ મિત્રો મોટરમાં મુકવામાં આવેલા ટેપમાં ગરબા વગાડતા હતા.
તેઓની મોટર જ્યારે ખંભાળિયામાં મસ્જિદ ચોક પાસેથી નીકળી ત્યારે ત્યાં મજલીસનો કાર્યક્રમ ચાલુ હતો તે કાર્યક્રમમાં હાજર એક ટોળાએ મોટર રોકાવી મજલીસ કાર્યક્રમ ચાલુ છે ત્યારે અહીંથી કેમ નીકળ્યા છો તેમ કહી ગાળો ભાંડતા બંને પત્રકારો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેઓને માર્ગમાં રોકી લઈ ત્રીસેક શખ્સના ટોળાએ કાઠલો પકડી લઈ મારી નાખવાની ધમકી આપી હતી અને માર માર્યાે હતો. પોલીસને બનાવની જાણ કરાઈ હતી. પીઆઈ વી.જે. સરવૈયા તથા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ખુશાલભાઈની ફરિયાદ પરથી ટોળા સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે અને તે વિસ્તારમાં રાત્રે જ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તથા એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial