Advertisement
Author: નોબત સમાચાર

દહેજની માગણી કરી પતિ સહિત પાંચ સાસરિયાએ ત્રાસ આપ્યાની રાવ

મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાઃ

જામનગર તા. ૧પઃ જામનગરના એક યુવતીએ રાજકોટમાં રહેતા પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ સામે દહેજની માગણી કરી મારકૂટ કરી ધમકી આપ્યા પછી ઘરમાંથી કાઢી મુક્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે પાંચેય સાસરિયા સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના નેહાબા નામના યુવતીના લગ્ન આઠેક મહિના પહેલા રાજકોટના કાલાવડ રોડ પર રહેતા બલરાજસિંહ ભરતસિંહ જાડેજા સાથે થયા પછી આ પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકાતા તેણીએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નગાળાના સમયમાં છેલ્લા સાતેક મહિનાથી પતિ તેમજ સાસુ દશરથબા, સસરા ભરતસિંહ સીદુભા જાડેજા, જેઠ વિક્રમસિંહ તથા નણંદ સેજલબા સત્યજીતસિંહ સોલંકીએ વધુ દહેજ લઈ આવવાની માગણી કરી નેહાબાને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારકૂટ કર્યા પછી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકતા નેહાબાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમો તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh