Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠાકોરજીના સેવાક્રમમાં ફેરફાર કરાયોઃ
દ્વારકા તા. ૧પઃ યાત્રાધામ દ્વારકામાં તા. ૧૬ ને બુધવારના દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે જગતમંદિરના પૂજારી પરિવારના સૂત્રોના જણાવ્યાનુસાર તા. ૧૬ ના બુધવારે જગતમંદિરમાં રાસોત્સવની ઉજવણી અનુસંધાને ઠાકોરજીના સેવાક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. તા. ૧૬ ઓક્ટોબરે ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬ કલાકે યોજાયા પછી ઠાકોરજીનો સવારનો અને સાંજે સેવાક્રમ નિત્યક્રમાનુસાર થશે તેમજ રાત્રે સંધ્યા આરતી પછીથી મંદિર બંધ થાય ત્યાં સુધી જગતમંદિરના પટાંગણમાં રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial